July 21, 2025

મહારાષ્ટ્રના ઈરશાલવાડીમાં ભારે ભૂસ્ખલન- 6ના મોત

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ખાલાપુરના ઈરશાલવાડી ગામમાં ભારે ભૂસ્ખલન થયું છે. જેમાં 6 લોકોના મોત થયા છે. 25થી વધુ ઘર આ લેન્ડસ્લાઈડની ઝપેટમાં આવ્યા છે ત્યારે લગભગ 100 લોકો ફસાયેલા હોવાની માહિતી સામે આવી છે. એવું કહેવાઈ રહ્યું છે કે 15 લોકોને અત્યાર સુધીમાં સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. પહાડી વિસ્તાર હોવાના કારણે સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશનમાં NDRF ને મુશ્કેલી પડી રહી છે. મહારાષ્ટ્રના રાયગઢમાં બુધવારે ખુબ ભારે વરસાદ પડ્યો હતો જેને પગલે પાતાળગંગા નદી નજીકના આપટા ગામનો સંપર્ક તૂટી ચૂક્યો છે કારણ કે અહીં રસ્તાઓ પર ચાર ફૂટથી વધુ પાણી ભરાય ચુક્યા છે.
ગામનો 90% ભાગ કાટમાળથી ઢંકાયેલો છે. અહીં 30 થી 35 આદિવાસીઓના ઘરોની મોટી વસાહત હતી જેથી આ અકસ્માતમાં મોટી જાનહાનિ થઈ હોવાની આશંકા છે. 100થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે. અત્યાર સુધી રેસ્ક્યુ ટીમ એક મહિલા અને બે બાળકોને બચાવવામાં સફળ રહી છે. કારણ કે માટી હજુ પણ ઉપર પડી રહી છે. આથી બચાવકર્મીઓ પણ જોખમમાં છે.
જાણવા મળ્યું છે કે અકસ્માત બાદ કેટલાક લોકો ડરી ગયા અને જંગલ તરફ ભાગ્યા હતાં. ઈમરજન્સી રેસ્ક્યુ ટીમના એક સભ્યએ કહ્યું છે કે લોકો પાછા ફર્યા પછી જ અમને આ ભૂસ્ખલન હેઠળ કેટલા લોકો ફસાયા હશે તેની ચોક્કસ માહિતી મળશે.
આ દરમિયાન રાજ્યના કેબિનેટ મંત્રી ગિરીશ મહાજન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મંત્રી દાદાજી ભુસે પણ વહેલી સવારે અહી મુલાકાત લીધી હતી પરંતુ ભારે પવન અને વરસાદના કારણે તેઓ ઉપર જઈ શક્યા ન હતા. સાથે જ ફોસ્ટર કેર મંત્રી અને ઉદ્યોગ મંત્રી ઉદય સામંત ઘટના સ્થળે પહોંચી ગયા હોવાનું જાણવા મળે છે.
આજના અકસ્માત સંદર્ભે ખાલાપુર પોલીસ સ્ટેશનના એપીઆઇ દ્વારા ચોક દ્વારક્ષેત્રમાં હદિત ચોક પાસે ઇર્શાલવાડી ખાતે હંગામી કંટ્રોલરૂમ ઉભો કરવામાં આવ્યો છે. તેનો મોબાઈલ નંબર 8108195554 છે.