February 11, 2026

ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંગમથી યાદો તાજી થઈ

  • અડાજણની બોઘરા અને અગ્રવાલ શાળાના ૨૦૦૫ની બેચનું ભવ્ય સ્નેહમિલન યોજાયું

શહેરના અડાજણ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત એલ. એચ. બોઘરા અને ડી. આર. અગ્રવાલ શાળાના વર્ષ ૨૦૦૫માં ધોરણ-૧૦માં અભ્યાસ કરતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો ‘સ્નેહમિલન સમારોહ’ તા. ૨૯ ડિસેમ્બર ૨૦૨૫, સોમવારે તાજેતરમાં ઉત્સાહભેર યોજાયો છે. આશરે ૧૯ વર્ષના લાંબા ગાળા બાદ એકસાથે મળેલા મિત્રોના મિલનથી વાતાવરણ લાગણીસભર બની ગયું છે.વર્ષ ૨૦૦૫ની બેચના વિદ્યાર્થીઓ જે આજે વિવિધ ક્ષેત્રો જેવા કે ડોક્ટર, એન્જિનિયર, ઉદ્યોગપતિ અને સરકારી સેવાઓમાં કાર્યરત છે, તેઓએ પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢીને હાજરી આપી છે. વિદ્યાર્થીઓએ પોતાના જીવન ઘડતરમાં શિક્ષકોના ફાળાને યાદ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. જૂની યાદોને તાજી કરવા મનોરંજક રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રોએ બાળપણના કિસ્સાઓ શેર કરી વાતાવરણને જીવંત બનાવ્યું છે. આ સ્નેહમિલન માત્ર એક મુલાકાત ન રહેતા, આગામી સમયમાં સામાજિક કાર્યો અને એકબીજાને મદદરૂપ થવા માટેના ‘એલ્યુમની નેટવર્ક’ ને મજબૂત બનાવવાનો સંકલ્પ લેવાયો છે.

રિતેશ સેલર, રવિ જાની, મનન શેઠ , ડૉ સેજલ કાપડિયા એ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. પૂર્વી તગડિયા, ડૉ રોશની પટેલ, ચૈતાલી કઢીવાલા, ડૉ દિતી પટેલ, પૃથ્વીરાજ પટેલ, એડવોકેટ મનન પટેલ, રિંકેશ ગાંધી, હાર્દિક શાહ, બિપીન ગોયાણી, વિરલ દેસાઈ, ભાવિક પટેલ, હિમાંશુ પટેલ કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા છે. અંતમાં સમૂહ ભોજન સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી છે. વર્ષો પછી જૂના મિત્રોને મળીને દરેકના ચહેરા પર એક અલગ જ ખુશી જોવા મળી છે.કાર્યક્રમના અંતે આયોજકોએ આવનાર સમયમાં પણ આવા મેળાવડાઓનું આયોજન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે, જેથી ભૂતકાળની યાદોને જીવંત રાખી શકાય અને પરસ્પર સંવાદ સતત જળવાઈ રહે. કાર્યક્રમ દરમિયાન મિત્રતા, એકતા અને સહકારની ભાવના સ્પષ્ટ રીતે ઝલકી છે.સંપર્ક સૂત્ર રવિ જાની (મો) 9979428220

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *