March 29, 2026

શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ, નવસારીનો રજત જયંતિ પર્વ

શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ, નવસારીના રજત જયંતિ પર્વ નિમિત્તે જીવન જીવવાની જડીબુટ્ટી અંતર્ગત ગોવિંદભાઈ ધોળકીયાની મોટીવેશનલ સ્પીચ યોજોશે.
શ્રી રામકૃષ્ણ ડાયમંડ,સુરતના સ્થાપક તથા ચેરમેન હોવાની સાથે જ સમાજના અગ્રણી ઉદ્યોગપતિ અને દાનવીર એવા ગોવિંદભાઈ ધોળકીયાની મોટીવેશનલ સ્પીચનું આયોજન તા. 27-7-2023ના ગુરુવારની રાત્રે 8.30 કલાકે આર.કે.પાનસુરીયા સાંસ્કૃતિક ભવન, તાશ્કંદ નગર,જલાલપોર રોડ, નવસારી ખાતે રાખવામાં આવી છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે સમાજના તમામને પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.