સુરતમાં ઉજવાયેલ “બોનાલા પંડુગા”ની શોભાયાત્રા

સુરતમાં વિવિધ વિસ્તારમાં રહેતા તેલગુ લોકો તેલંગાના રાજ્યમાં ઉજવતા વિવિધ તહેવારો હોય છે.આજની પેઢીને આપની સંસ્કૃતિ અને પરંપરાઓ થી પરિચિત કરાવવા માટે આપના ખાસ તહેવારો હોય છે. તેમાંથી એક છે “બોનાલા પંડુગા” આ તહેવારને તેલંગાના માં રહેલા દરેક ગામમાં તેમજ હૈદરાબાદ અને સિકંદરાબાદમાં ખૂબ જ ધૂમધામથી ઉજવતા હોય છે, આખું ગામને સારી રીતે જોઈએ તે માતાને અનેક નામો છે તેમાં પોચમ્મા, મૃત્યાલમ્માં,રેણુકા એલમ્મા, મૈસમ્મા, મારમ્મા અને મહાકાલમ્મા,
આ “બોનાલા પંડુગા” તહેવાર માતાનો તહેવાર છે,સુરતની વિવિધ પ્રાંતોમાં રહેતા તેલગુ બહેનો પરંપરાગત રીતે સજાવટ કરી શોભાયાત્રા થકી સહજાનંદ સોસાયટી ગોડાદરામાં નર્મદા અંબે માતાના મંદિર ના પ્રાંગણમાં ભેગા થઈ સહજાનંદ ચાર રસ્તાથી શ્રીજી નગર રત્નપ્રભા આસ્તિક નગર બાલાજી નગર થઈને ગુજરાત હાઉસિંગ બોર્ડ ભાગ્યનગર આશાપુરી ગોડાદરામાં આવેલ પોચમ્મા (શીતળામાતા) ના મંદિર સુધી કાઢવામાં આવી હતી.

આ બોનાલા પંડુગા ના ઉત્સવમાં 163 લિંબાયત ના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, 168 ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ, ડે.મેયર શ્રી નરેન્દ્ર પાટિલ, ડ્રેનેજ સમિતિના માજી ચેરમેન શ્રી વિક્રમભાઈ પાટીલ, વોર્ડ નંબર 25ના પ્રમુખ શ્રી હેમંત મરાઠે,વોર્ડ નંબર 26 ના ભાજપ પ્રમુખશ્રી દીપકભાઈ પાટીલ અને માજી પ્રમુખ શ્રી રાજુભાઈ સુરતી રાપોલુ બૂચીરામોલુ તેમજ તેલુગુ સમાજના તુમ્મા રમેશ,શ્રી કોડુનુરી શ્રીનિવાસ, નરસિંહ અરકાલ, એલિગેટિ નાગેશ, દાસરી શ્રીનિવાસ,રમેશ એલિગેટિ,જજી કહેંકરમ, કન્ના વેન્કના, વેંકટરામ નરસૈંયા, કલી શેટ્ટી,દૂસા ઉપેન્દર,સતીશ બાલને, કોન્ડાબતુલા,શ્રીનીવાસ, બુધારપુ પ્રસાદ, સિદ્ધ શ્રીનિવાસ, વેણુમારા,કોમદી શ્રીનિવાસ દીકોન્ડા, કિટ્ટુ બોગા,જમુના વનમ,સુરેશ મામિંડલાપલ્લી,ભાસ્કર ચેરુકુ,બુગુલાચારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા આ બોનાલા પંડુગા ના શોભાયાત્રા ને સફળ બનાવવા માટે તેલગુ બહેનો શ્રીમતિ એના ગંદુલા કવિતા ( કોર્પોરેટર),ગરદાસ રમા, ચિટયાલા સ્વપ્ના, જંજીરાલા કલા અને બુજમ્મા એ ખૂબ જ મહેનત કર્યું હતું

*બોનાલુ એ તેલંગાણામાં ઉજવાતો તહેવાર છે.*બોનાલુ એ દેવી દુર્ગાની પૂજા કરવાનો હિન્દુ તહેવાર છે. આ તહેવાર મુખ્યત્વે હૈદરાબાદ, સિકંદરાબાદ, તેલંગાણા અને રાયલસીમાના કેટલાક ભાગોમાં ઉજવવામાં આવે છે.આ તહેવાર સામાન્ય રીતે જુલાઈ અથવા ઓગસ્ટમાં આવતા અષાઢ મહિનામાં ઉજવવામાં આવે છે. તહેવારના પહેલા અને છેલ્લા દિવસોમાં દેવી યેલમ્માને ખાસ પ્રાર્થના કરવામાં આવે છે.*બોનાલુ* વર્ષમાં એકવારબોનામ, જેનો અર્થ થાય છે ખોરાક, એ દેવી દુર્ગાને અર્પણ કરવામાં આવે છે.

સ્ત્રીઓ માટી અથવા તાંબાના વાસણોમાં બોનામ, જેમાં રાંધેલા ભાત, દૂધ, દહીં, ગોળ અને ક્યારેક ડુંગળી હોય છે, પોતાના માથા પર રાખે છે અને ઢોલ વગાડનારાઓ અને નર્તકો સાથે દેવીના મંદિરમાં જાય છે. સ્ત્રીઓ દ્વારા પહેરવામાં આવતા આ બોનામ વાસણો, નાના લીમડાના પાન, હળદર, કેસર અથવા કડી (સફેદ લોટ) થી શણગારવામાં આવે છે, અને ઉપર દીવો મૂકવામાં આવે છે. મૈસમ્મા, પોચમ્મા, યેલમ્મા, પેડમ્મા, ડોક્કલમ્મા, અંકલમ્મા, પોલેરમ્મા અને મારેમ્મા નામોથી ઓળખાતા આ દેવીના મંદિરોને રંગબેરંગી શણગારથી શણગારવામાં આવ્યા છે.તેલંગાણાના અલગ રાજ્યની રચના પછી, બોનાલાને રાજ્ય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.
